નીતા લીંબાચિયા, અમદાવાદ:
05 જૂન 2025:
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે, એસ્ટ્રલ ફાઉન્ડેશનએ તેના દ્વારા દત્તક લેવાયેલા કેલીયા વાસણા ગામમાં 10,000 વૃક્ષોનું વાવેતર શરૂ કરીને પર્યાવરણીય અને સામાજિક જવાબદારી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આ પહેલ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્યામ સુંદર પાલીવાલની પ્રેરણાથી શરૂ થઈ છે, જેઓ બાળકીના જન્મને વૃક્ષ વાવેતર દ્વારા સન્માનિત કરવાના તેમના ક્રાંતિકારી વિચાર માટે જાણીતા છે. આ પ્રેરણાને આગળ ધપાવતા, એસ્ટ્રલ ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રીમતી જાગૃતિ એન્જિનિયરે કેલીયા વાસણામાં જન્મેલી દરેક બાળકીના જન્મ પર 111 વૃક્ષો વાવવાની હૃદયસ્પર્શી પ્રતિજ્ઞા જાહેર કરી.

“વૃક્ષ જીવનનું પ્રતિક છે – અને જ્યારે દીકરી જન્મે, ત્યારે આ જન્મને વૃક્ષ વાવીને ઉજવવો એ જીવનમાં નવી આશા વાવવાનું કાર્ય છે,” એમ શ્રીમતી જાગૃતિ એન્જિનિયરે જણાવ્યું. “આ પહેલ માત્ર પર્યાવરણને જ નહીં, પણ સમાજમાં દીકરી પ્રત્યેના દ્રષ્ટિકોણને પણ હકારાત્મક બનાવે છે.” તેમણે જણાવ્યું.

આ વાવેતર અભિયાન આજે ગામના લોકોની સક્રિય ભાગીદારી સાથે શરૂ થયું, જેમણે આ રોપાઓને પૂર્ણ વૃક્ષો બનાવવા માટે તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ લીધી છે. અંતિમ ધ્યેય 1,00,000 વૃક્ષોનું વાવેતર કરવાનું છે, જેનાથી એક હરિયાળો વારસો ઊભો થશે અને પર્યાવરણ સંરક્ષણમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન મળશે.
એસ્ટ્રલ ફાઉન્ડેશન આરોગ્ય, શિક્ષણ, જળ સંરક્ષણ અને પર્યાવરણીય જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનું ચાલુ રાખે છે, જેનો ઉદ્દેશ લોકોના જીવન અને પૃથ્વીમાં અર્થપૂર્ણ ફેરફાર લાવવાનો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #worldnvironmentday #astralfoundation #keliyavasnavillage #treeplantation #environmental #socialresponsibility #padmashriawardeeshyamsundarpaliwal #treeplantationhonoredonbirthofgirlchild #ahmedabad
