નદીના પશ્ચિમ છેડે સરદાર બ્રિજ નીચેના પટ્ટામાં અને નદીના પૂર્વ છેડે અટલબ્રિજની નીચે મોટાપાયે સફાઈ અભિયાન હાથ ધરાશે – પેટા હેડિંગ
5000 થી વધુ હોમગાર્ડ જવાનોની સાથે સિવિલ ડિફેન્સના 700થી વધુ જવાનો પણ સફાઈ અભિયાનમાં જોડાશે – પેટા હેડિંગ
અમદાવાદ: O4 જૂન 2025:
અમદાવાદ શહેરની મધ્યેથી પસાર થતી સાબરમતી નદીને સાફ કરવાના સ્વચ્છતા અભિયાન પ્રોજેકટમાં તા.૫મી જૂને હોમગાર્ડના પાંચ હજારથી વધુ જવાનો અને સિવિલ ડિફેન્સના ૭૦૦થી વધુ જવાનો પણ લોકભાગીદારી કરી જોડાશે અને સાબરમતી નદીને સાફ કરવામાં તેમની માનદ્ સેવા આપશે. એ દિવસે સાબરમતી નદીના પશ્ચિમ છેડે સરદાર બ્રિજની નીચે એનઆઇડી પાસેના પટ્ટા-વિસ્તારમાં તેમ જ નદીના પૂર્વ છેડે અટલ બ્રિજની નીચેના ઘાટ વિસ્તારમાં નદીમાંથી મોટા પાયે કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવાનું વિશેષ આયોજન હાથ ધરાયું છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રા.લિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે સાબરમતી નદીને સાફ કરવાનું સ્વચ્છતા મહાઅભિયાન છેલ્લા બે સપ્તાહથી શરૃ કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા તબક્કામાં અને ભાગોમાં નદીની સફાઇ હાથ ધરાઇ રહી છે. જે અંતર્ગત સાબરમતી પશ્ચિમ છેડે ચાર બ્લોક અને પૂર્વ છેડે પાંચ બ્લોક પાડી જુદા જુદા ઝોન, વિભાગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ સહિતના લોકોના શ્રમદાનની લોકભાગીદારીથી હાલ નદીને સાફ કરવાની કામગીરી ચાલુ છે.
જેમાં અમદાવાદ શહેરના પાંચ હજારથી વધુ હોમગાર્ડ જવાનો અને સિવિલ ડિફેન્સના ૭૦૦થી વધુ જવાનો સાબરમતી નદીને સાફ કરવામાં પોતાની સ્વૈચ્છિક સેવા આપશે. આ માટે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનના તમામ ડિવીઝનના અધિકારીઓ, હોમગાર્ડ જવાનોને તા.૫મી જૂને વહેલી સવારે ૬-૧૫ વાગ્યે પૂર્ણ સંખ્યામાં હાજ રહેવાના આદેશો પણ જારી કરી દેવાયા છે. હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ, ગુજરાત રાજયના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ અને અમદાવાદ શહેર પશ્ચિમના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટ કે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના મળી કુલ આશરે છ હજાર જેટલા જવાનો દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ કરવાના આ બહુ મોટા સેવાયજ્ઞામાં જોડાઇ નદીના પશ્ચિમ છેડે સરદાર બ્રિજ પાસે આવેલ રેમ્પની આજુબાજુનો વિસ્તાર(એનઆઇડી પાસે થઇને ) અને પૂર્વ છેડે અટલ બ્રિજની નીચેના ઘાટની આજુબાજુનો વિસ્તારમાં નદીની સ્વચ્છતા કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ, ભાજપના સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન, હોમગાર્ડના તમામ ડિવીઝનના અધિકારીઓ સહિતના મહાનુભાવો પણ અભિયાનમાં જોડાનાર છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય હોમગાર્ડઝ દળ એ માનદ્ દળ છે અને કુદરતી આપત્તિઓ, કટોકટીના સમય કે આકસ્મિક સંજોગોમાં સદાય પોતાની માનદ્ સવા આપવા તત્પર રહે છે. અગાઉ ગુજરાતના વિનાશક ભૂકંપ, રાજયમાં પૂર અને પ્રલયની પરિસ્થિતિ, કોરોના મહામારીના ભયાવહ કપરા કાળ સહિતના અનેક પ્રસંગોએ હોમગાર્ડ્ઝ ડિપાર્ટમેન્ટ અને તેના જવાનોએ બહુ નોંધનીય અને બહુમૂલ્ય કહી શકાય તેવી સેવાઓ આપી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #river #homeguards #sabarmatiswachhtaabhiyan #sardarbridge #atalbridge #cleanlinesscampaign #sabarmatinadi #sabarmatirivefront #civildefensesoldiers #homeguardsjavan #ahmedabad
