નીતા લીંબાચિયા, અમદાવાદ:
03 જૂન 2025:
નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 100 ઓલ ઈન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 43 સ્થાન મેળવ્યું
JEE એડવાન્સ્ડ 2025 માં ટોચના 10 માંથી 5 રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા, નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 3, 4, 6, 7 અને 10 પ્રાપ્ત કર્યા. આ અસાધારણ પ્રદર્શનમાં માજિદ હુસૈન- (AIR 3)- મધ્યપ્રદેશ, પાર્થ મંદાર વર્તક (AIR 4)- મહારાષ્ટ્ર, અક્ષત ચૌરસિયા (AIR 6)- રાજસ્થાન, સાહિલ દેવ (AIR 7)- મહારાષ્ટ્ર અને વડલામુડી લોકેશ (AIR 10)- આંધ્રપ્રદેશ અગ્રણી છે, જેમની શાનદાર સિદ્ધિઓએ સંસ્થાને ખૂબ જ ગર્વ અપાવ્યો છે. આ ઉત્કૃષ્ટ પરિણામો નારાયણાની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને તેના મજબૂત, સંશોધન-સંચાલિત શિક્ષણશાસ્ત્રનો પુરાવો છે જે સતત દેશભરમાં ટોચના પરિણામો આપે છે.

આ ટોચના રેન્ક ઉપરાંત, અહીંના વિદ્યાર્થીઓએ ટોચના 100 રેન્કમાંથી 43 રેન્ક મેળવ્યા છે જેનાથી ભારતના અગ્રણી IIT માં પ્રવેશ માટે માર્ગ મોકળો થયો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ ફક્ત અમારા વિદ્યાર્થીઓના અવિરત સમર્પણ અને ખંતને જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને પોષવાના નારાયણાના 46 વર્ષના વારસાને પણ પ્રતિબિંબિત કરે છે.
વધુમાં, નારાયણા અમદાવાદે પણ તેના શરૂઆતના તબક્કામાં એક નોંધપાત્ર શરૂઆત કરી છે, જેમાં અમારા વિદ્યાર્થી મન પટેલે AIR-43 અને nPrep ના વિદ્યાર્થીઓ શિવેન તોષનીવાલ અને યશ મેશિયાએ અનુક્રમે AIR-58 અને AIR-85 મેળવ્યા છે. નારાયણા સુરતના અમારા વિદ્યાર્થી આગમ શાહ દ્વારા પ્રભાવશાળી AIR 17 મેળવેલ છે. આ બધા રેન્ક ઓલ-ઇન્ડિયા ઓપન કેટેગરીમાં છે, જે સંસ્થાની મજબૂત ઉપસ્થિતિ અને પ્રદેશમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નારાયણા શૈક્ષણિક સંસ્થાઓના ડિરેક્ટર ડૉ. પી. સિંધુરાએ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન આપતા કહ્યું:
“અમારા વિદ્યાર્થીઓની સફળતા નારાયણાના મજબૂત શિક્ષણ ઇકોસિસ્ટમમાંથી ઉદ્ભવે છે, જે વૈચારિક નિપુણતા, સખત અભ્યાસ અને ટેકનોલોજી-આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે. Disha કાર્યક્રમ દ્વારા સમર્થિત અમારો સર્વાંગી અભિગમ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને ભાવનાત્મક બંને રીતે ટેકો આપે છે, તથા તેમની માનસિક સુખાકારી પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે.
અમારી અનોખી કન્સેપ્ટ ડેફિનેશન ફોર્મ્યુલા (CDF) પદ્ધતિ વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે, જ્યારે એક સંરચિત સૂક્ષ્મ-સમયપત્રક (structured micro-schedule) શીખવાની કાર્યક્ષમતાને મહત્તમ બનાવે છે. સમયાંતરે મૂલ્યાંકન (periodic assessments), વિગતવાર ભૂલ વિશ્લેષણ (detailed error ananlysis) અને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા, અમે વિદ્યાર્થીઓને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનવા માટે સશક્ત બનાવીએ છીએ. અમારા ફેકલ્ટી શિક્ષણ ઉપરાંત દરેક વિદ્યાર્થીની ક્ષમતાને પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે અને સંવર્ધન કરે છે.”
નારાયણા શૈક્ષણિક સંસ્થાઓના ડિરેક્ટર પી. શરાણીએ આ અસાધારણ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચેના સરળ તાલમેલને આપ્યો. તેમણે શૈક્ષણિક સિદ્ધિઓ વધારવામાં ટેકનોલોજીની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડતા ઉમેર્યું:
“અમારી ઇન-હાઉસ, ઓનલાઈન સેલ્ફ-લર્ન એપ્લિકેશન nLearn, રીઅલ-ટાઇમ પ્રોગ્રેસ ટ્રેકિંગ, અનુકૂલનશીલ શિક્ષણ અને પ્રદર્શન વિશ્લેષણની સુવિધા આપે છે, જે ખાતરી કરે છે કે વિદ્યાર્થીઓને તેમની તૈયારીના દરેક તબક્કે વ્યક્તિગત સમર્થન મળે.”
ચાર દાયકાથી વધુ સમયથી, નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ ભવિષ્યના નેતાઓને ઘડવા અને રાષ્ટ્રની પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવાના તેમના લક્ષ્યમાં અડગ રહી છે. નારાયણા ખાતે, અમે “Your Dreams are Our Dreams” માં માનીએ છીએ, અને આ અસાધારણ પરિણામો વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને સિદ્ધિઓમાં ફેરવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ વિશે
ભારતના 23 રાજ્યો અને 250+ શહેરોમાં 900+ શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરો અને વ્યાવસાયિક કોલેજોના વિશાળ નેટવર્ક સાથે, નારાયણા શૈક્ષણિક સંસ્થાઓ એશિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત શિક્ષણ જૂથોમાંનું એક છે જે શિક્ષણ ક્ષેત્રમાં 46 વર્ષથી વધુનો વારસો ધરાવે છે. સંસ્થા પાસે 50,000+ થી વધુ અનુભવી શિક્ષકો, R & D heads અને વિષય નિષ્ણાતોની એક ટીમ છે, ઉપરાંત બિન-શૈક્ષણિક સ્ટાફ પણ છે, જે દર વર્ષે 600,000+ થી વધુ વિદ્યાર્થીઓને KGથી લઈને અનુસ્નાતક અભ્યાસ સુધીના શિક્ષણમાં મદદ કરે છે. તેમનું કેન્દ્રિય ધ્યાન અભ્યાસક્રમ અને સહ-અભ્યાસક્રમ ક્ષેત્રો વચ્ચે સુમેળભર્યું સંતુલન જાળવવા પર રહે છે જેથી વિદ્યાર્થીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે. વધુમાં, તેઓ એન્જિનિયરિંગ, મેડિકલ, CA અને સિવિલ સર્વિસ સ્ટ્રીમ્સમાં વિદ્યાર્થીઓને તેમની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ કરવા માટે રચાયેલ વ્યાપક શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે, જે કારકિર્દીલક્ષી શિક્ષણ પ્રત્યેના તેમના દૃઢ સમર્પણનું પ્રદર્શન કરે છે. આ સાથે, નારાયણા દેશભરમાં લાખો લોકોના સપનાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે નારાયણમાં, તમારા સપના એજ અમારા સપના છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #narayana’sJEEadvanced2025 #narayanaeducationalinstitution #jeeadvanced #nit #narayana-jee-advanced-2025 #ahmedabad
