બાંગ્લાદેશમાં તાજેતરમાં હિન્દુ સમુદાયના લોકોની સાથે સાથે ઇસ્કોન અને અન્ય સંસ્થાઓના મંદિરોમાં પણ કરાયેલા હુમલાઓ અને થયેલી તોડફોડને લઇ ગુજરાત રાજય સહિત સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત
હરેકૃષ્ણ મુવમેન્ટ દ્વારા આ હુમલાઓ અને સંવેદનશીલ લોકોના રક્ષણની ઉગ્ર માંગણી સાથે અમદાવાદ શહેરમાં સોલા બીઆરટીએસથી સાયન્સ સીટી સુધી એક શાંતિપૂર્ણ કિર્તન પ્રયાણનું આયોજન થયુ
હરેકૃષ્ણ મુવમેન્ટ અમદાવાદના પ્રમુખ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ બાંગ્લાદેશ સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ, ઇસ્કોનના ભકતો અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલાઓ અને તોડફોડ મામલે તાત્કાલિક રક્ષણ સહિતના યોગ્ય પગલા ભરવા અને તેઓને પૂરતુ અને યોગ્ય રક્ષણ પૂરું પાડવા અનુરોધ કર્યો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.24
બાંગ્લાદેશમાં તાજેતરમાં હિન્દુ સમુદાયના લોકોની સાથે સાથે ઇસ્કોન અને અન્ય સંસ્થાઓના મંદિરોમાં પણ કરાયેલા હુમલાઓ અને થયેલી તોડફોડને લઇ ગુજરાત રાજય સહિત સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાતના અમદાવાદમાં પણ ઇસ્કોન મંદિર, ભાડજની હરેકૃષ્ણ મુવમેન્ટ આ સમગ્ર ઘટનાક્રમને વખોડી કાઢવામાં આવ્યો છે અને તેની નિંદા કરવામાં આવી છે. વધુમાં હરેકૃષ્ણ મુવમેન્ટ દ્વારા આ હુમલાઓ અને સંવેદનશીલ લોકોના રક્ષણની ઉગ્ર માંગણી સાથે અમદાવાદ શહેરમાં સોલા બીઆરટીએસથી સાયન્સ સીટી સુધી એક શાંતિપૂર્ણ કિર્તન પ્રયાણનું આયોજન કર્યું હતું. જેમાં હરેકૃષ્ણ મંદિર, ભાડજના મીશનરીઓ, હરેકૃષ્ણ મુવમેન્ટ અમદાવાદ સંસ્થાના સભ્યો અને અન્ય જાગૃત નાગરિકોએ ભાગ લીધો હતો અને શાંતિનો એક અનોખો સામાજિક સંદેશો પૂરો પાડયો હતો. આ પ્રસંગે હરેકૃષ્ણ મુવમેન્ટ અમદાવાદના પ્રમુખ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ બાંગ્લાદેશ સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ, ઇસ્કોનના ભકતો અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલાઓ અને તોડફોડ મામલે તાત્કાલિક રક્ષણ સહિતના યોગ્ય પગલા ભરવા અને તેઓને પૂરતુ અને યોગ્ય રક્ષણ પૂરું પાડવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર છેલ્લા કેટલાક પખવાડિયામાં હુમલો થયો છે. ઈસ્કોન અને અન્ય સંસ્થાઓના મંદિરોમાં તોડફોડકરવામાં આવી, દેવી દેવતાઓની મૂર્તિ ખંડિત કરવામાં આવી, દુર્ગાદેવીના પૂજા પંડાલ સળગાવામાં આવ્યા. કટ્ટરપંથી ટોળાએ તેમના હુમલા દરમ્યાન ઘણા લોકોને મારી નાખ્યા હતા જેમાં નૌકાલીમાં ઈસ્કોનના પ્રાંથ ચંદ્રદાસ અને જતન ચંદ્ર સાહાનો સમાવેશ થાય છે. હિંદુઓના ઘણાં ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓને ચોક્કસ રીતે નિશાન બનાવીને બાળી નાખવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો પર આ પ્રકારના હુમલા દાયકાઓથી થતા આવ્યા છે. આને થોભવાની જરુર છે. આ લક્ષિત હુમલાઓએ હંમેશા કાયદાનું પાલન કરનારા સમુદાયોની માનવતાની સંયુક્ત ચેતનાને હચમચાવી દીધી છે. આ સંવેદનશીલ લોકો માટે રક્ષણની માંગ કરવાના ભાગરૂપે, હરેકૃષ્ણ મુવમેન્ટ દ્રારા વિશ્વભરમાં શાંતિપૂર્ણ વિરોધનું આયોજન કર્યું છે. વૈશ્વિક કિર્તન કૂચ વૈશ્વિક હિન્દુ સમુદાયની પીડા અને વેદનાનું વિશ્વવ્યાપી શાંતિપૂર્ણ પ્રદર્શન છે, જે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ખડે પગે તેમની સાથે ઉભા રહેવા કટિબધ્ધ છે. આ વિરોધ કોઈ ધાર્મિક સમુદાય કે બાંગ્લાદેશ રાજ્યની વિરુધ્ધમાં નથી. પણ તે દેશના તમામ લઘુમતીઓની સુરક્ષાની માંગ અર્થે છે.
હરેકૃષ્ણ મુવમેન્ટ અમદાવાદ દ્રારા પણ બાંગ્લાદેશમાં હાનિ પહોચાડવામાં આવેલ લધુમતીઓ સાથે એક્તા વ્યક્ત કરવા અર્થે સોલા
બી.આર.ટી.એસ. અમદાવાદ થી સાયન્સસીટી, અમદાવાદ સુધી પર શાંતિપૂર્ણ કીર્તન પ્રયાણનું આયોજન કર્યું હતુ. મંદિરના
મિશનરીઓ, હરેકૃષ્ણ મુવમેન્ટ અમદાવાદ સંસ્થાના સભ્યો અને અન્ય જાગૃત નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હરેકૃષ્ણ મુવમેન્ટ અમદાવાદના પ્રમુખ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું હતુ કે બાંગ્લાદેશમાં ઈસ્કોનના ભક્તો, હિન્દુઓ અને
લઘુમતીઓ પર ઉશ્કેરાટથી થયેલ હુમલાઓ પ્રત્યે અમે અમારી પીડા અને દુખ વ્યકત કરીએ છીએ. અમો તેઓના સમર્થન અને
એકતામાં એક થઈને ખડે પગે ઉભા છીએ અને તેમની સુરક્ષા અને સુખાકારી અર્થે પ્રાર્થના કરીએ છીએ. અમો બાંગ્લાદેશની સરકારને
નમ્ર વિંનતી કરીએ છીએ કે ઝડપી અસરગ્રસ્ત લઘુમતીઓનું રક્ષણ સુનિશ્વિત કરે અને ભવિષ્યમાં આવી ઘટનાને થતી રોકવા જરૂરી
પગલા ભરે. અમે ભારત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તે આપણા પાડોશી દેશો સાથે ચર્ચા કરે અને આ ક્ષેત્રમાં લઘુમતીઓના
અધિકારોનું રક્ષણ કરે.
#bharatmirror #bharatmirror21 #news