નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 સપ્ટેમ્બર 2024:
શનિવાર તા 21 સપ્ટેમ્બરે અમદાવાદની જૂની અને પ્રખ્યાત હોટેલ પાન શિકુરા ખાતે રાષ્ટ્રીય મિડીયા પ્રતિનિધિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું હતું.ગુજરાત હેડ ક્વાટર ધરાવતા આ ગ્રુપમાં 103થી વધુ મીડિયાના પ્રતિનિધિ છે.જેઓ ગુજરાત તથા ભારતભરના પ્રિન્ટ ,ટીવી , રેડિયો તથા સોશિયલ મીડિયા માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

મિડીયા પ્રતિનિધિ ગ્રુપના અધ્યક્ષ શ્રી ઇન્દ્રસિહ ઝાલા,સાથે પરીમલભાઈ શાહ,રાજન ભાઈ અને અન્યો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારંભ માં અનેક મીડિયાના સિનિયર પ્રતિનિધિ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ઔપચારિક વાતો,આનંદ સભર મુલાકાતો,અને સ્વાદિષ્ટ ભોજન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સૌ કોઈ મીડિયાના જુના સંસ્મરણો વાગોળતા હતા.
આ ગ્રુપ ની ખાસીયત એ છે કે તમામ સભ્યો editorial અને Advertisement આ બંને બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે.
છેલ્લે આગામી આયોજન પરિવાર સાથે સ્નેહમિલન સાથે યોજવાનું સર્વાનુમતે નક્કી થયું હતું.આ અગાઉના આયોજન પરિમલ ભાઈ,ઇન્દ્રવદન સિંહજી,હરેશભાઈ,પ્રકાશ જાડાવાળા, રાજન ભાઈ,ડૉ રાજેશ ભોજક અને નિલેશ ધોળકિયા દ્વારા યોજાયેલ.જેમાં શ્રી ઈન્દ્રસિહ ઝાલા જીને મિડીયા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #arshtriyamediarepresentativegroup #friendlymeeting #ahmedabad
