• આ મુલાકાત ભારતના ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ક્ષેત્રમાં એમનીલના યોગદાનને ઉજાગર કરે છે
• કાશીવ બાયોસાયન્સેસના અધિગ્રહણ બાદ કંપનીએ આર એન્ડ ડી, કોમ્પ્લેક્સ મેડિસિન્સ અને બાયોસિમિલર્સ ક્ષેત્રે પોતાની ક્ષમતાઓ રજૂ કરી
• બાયોફાર્માસ્યુટિકલ ઇનોવેશન અને કુશળ માનવબળના વિકાસ માટે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સહયોગની તકો અંગે ચર્ચા
પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 સપ્ટેમ્બર 2026:
ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી મનોજ જોશીએ મંગળવારે અમદાવાદ સ્થિત એમનીલ ફાર્માસ્યુટિકલ્સની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી હતી. તેમણે કંપનીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી અને એમનીલની વૃદ્ધિ, રોકાણો, પાઇપલાઇન તથા વિસ્તરી રહેલી ક્ષમતાઓ અંગે ચર્ચા કરી. ચર્ચામાં ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ક્ષેત્રે એમનીલના યોગદાન તેમજ કાશીવ બાયોસાયન્સેસના અધિગ્રહણ બાદ વિસ્તરેલી કંપનીની બાયોસિમિલર્સ ક્ષમતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી.

ચર્ચા દરમિયાન એમનીલના મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટ, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને R&Dમાં રોકાણો તથા કોમ્પ્લેક્સ જેનરિક્સ, ઇન્જેક્ટેબલ્સ, પેપ્ટાઇડ્સ અને APIs સહિતની ક્ષમતાઓ દ્વારા ભારતના ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમમાં કંપનીના વધી રહેલા યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો. એમનીલએ તેની વૈવિધ્યસભર વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ કુશળતા, ઇનોવેશન ક્ષમતાઓ, ભાગીદારીઓ અને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇનને સહયોગ આપવા માટેની તેની ભૂમિકા અંગે પણ માહિતી રજૂ કરી.
એમનીલ દ્વારા તાજેતરમાં કાશીવ બાયોસાયન્સેસનું અધિગ્રહણ કરવામાં આવતા આ ક્ષમતાઓ વધુ મજબૂત બની છે. આથી સંશોધન, વિકાસ, મેન્યુફેક્ચરિંગ અને કોમર્શિયલાઇઝેશનને આવરી લેતું સંપૂર્ણપણે સંકલિત વૈશ્વિક બાયોસિમિલર્સ પ્લેટફોર્મ ઊભું થયું છે. આ સંયોજન કાશીવની બાયોલોજિક્સ ક્ષેત્રની ક્ષમતાઓને એમનીલની કોમર્શિયલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે જોડે છે, જેના પરિણામે કંપનીની બાયોસિમિલર્સ પાઇપલાઇનનો વિસ્તાર થયો છે અને લાંબા ગાળાની વૃદ્ધિ માટે કંપનીની ક્ષમતાઓ વધુ મજબૂત બની છે.
મુલાકાત દરમિયાન ભારતની ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા અને બાયોફાર્માસ્યુટિકલ ઇનોવેશનને આગળ વધારવાની તકો અંગે પણ ચર્ચા થઈ. તેમાં R&Dમાં વધુ રોકાણ, ઇનોવેશન કેપિટલ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ અને રેગ્યુલેટરી સાયન્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પ્રાથમિકતાઓ ભારત સરકારના પ્રસ્તાવિત બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ સાથે સુસંગત છે, જે ભારતના બાયોફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમને વધુ સક્ષમ બનાવવા માટે પાંચ વર્ષ દરમિયાન ₹10,000 કરોડના ખર્ચની જોગવાઈ ધરાવે છે.
એમનીલ ફાર્માસ્યુટિકલ્સના સીનિયર વાઈસ પ્રમુખ અને હેડ – આર એન્ડ ડી, ડૉ. પાર્વા પુરોહિતે જણાવ્યું હતું કે, “ભારત પાસે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મજબૂત પાયો છે અને હવે બાયોફાર્માસ્યુટિકલ ઇનોવેશન ક્ષેત્રે વધુ ઊંડાણ વિકસાવવાની તક છે. એમનીલ ખાતે અમે મેન્યુફેક્ચરિંગ, R&D, બાયોસિમિલર્સ અને કોમ્પ્લેક્સ મેડિસિન્સ ક્ષેત્રે અમારી ક્ષમતાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
એમનીલના સીનિયર વાઈસ પ્રમુખ, માનવ સંસાધનો, શ્રી રાહુલ મૈત્રાએ ઉમેર્યું હતું કે, “શ્રી મનોજ જોશીની મુલાકાત અને હાલની સરકારી યોજનાઓ હેઠળ ચાલી રહેલા સ્કિલ ડેવલપમેન્ટ પ્રયાસો અંગે થયેલી ઉપયોગી ચર્ચાથી અમને પ્રોત્સાહન મળ્યું છે. ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ આર એન્ડ ડી તેમજ મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. તેથી ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર સાથે મળીને ઉદ્યોગ માટે તૈયાર માનવબળ વિકસાવવા માટેના પ્રયાસોને સમાન પ્રાધાન્ય આપવું મહત્વપૂર્ણ છે.”
મુલાકાત દરમિયાન એમનીલના નેતાઓ અને સચિવ શ્રી મનોજ જોશી વચ્ચે મેન્યુફેક્ચરિંગ, આર એન્ડ ડી, બાયોસિમિલર્સ અને કોમ્પ્લેક્સ મેડિસિન્સ ક્ષેત્રે કંપનીના રોકાણો અને વધી રહેલી ક્ષમતાઓ અંગે ચર્ચા થઈ. ચર્ચામાં બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસ માટેના પડકારો અને તેને સક્ષમ બનાવતા પરિબળો, જેમાં ઇનોવેશન કેપિટલ, અદ્યતન સંશોધન માળખું, ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ-સરકાર વચ્ચે સહયોગ અને રેગ્યુલેટરી સાયન્સનો સમાવેશ થાય છે, તે અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો.
આ મુલાકાતે ભારતની બાયોફાર્માસ્યુટિકલ ક્ષમતાઓને મજબૂત બનાવવા, ઇનોવેશનને આગળ વધારવા અને અદ્યતન મેન્યુફેક્ચરિંગમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સતત સહયોગના મહત્વને વધુ મજબૂત બનાવ્યું.
એમનીલ વિશે
એમનીલ સલામત, અસરકારક અને પોસાય તેવી દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે કાર્યરત છે. અમારી વિશિષ્ટતા વિશ્વસ્તરીય બાયોફાર્માસ્યુટિકલ કંપનીની ચોકસાઈ અને વ્યાપક ક્ષમતાને એવા લોકોની ટીમના હૃદય સાથે જોડવામાં છે, જે દરેક ડોઝ લોકોના જીવન પર અસર કરી શકે છે તે જાણીને ઊંડી કાળજી સાથે કાર્ય કરે છે.
ભાઈઓ અને સહ-મુખ્ય કાર્યકારી અધિકારીઓ ચિરાગ અને ચિંટુ પટેલ એ 2002 માં એમનીલની સ્થાપના એક એવા વચન સાથે કરી હતી, જે તેમની પોતાની જેમ અન્ય પરિવારો સુધી જરૂરી દવાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતામાંથી ઉદ્ભવ્યું હતું. આજે, અમે વિવિધ થેરાપ્યુટિક ક્ષેત્રોમાં આશરે 300 જેનરિક, બાયોસિમિલર અને સ્પેશિયાલિટી દવાઓનો પોર્ટફોલિયો વિકસાવ્યો છે અને દર વર્ષે 160 મિલિયનથી વધુ પ્રિસ્ક્રિપ્શન્સ પૂરા કરીએ છીએ.
ઉદ્યોગમાં મજબૂત ટ્રેક રેકોર્ડ સાથે, ગુણવત્તા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા અડગ છે. લોકોને જરૂરી અને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થવા માટે અમે ઉચ્ચ ગુણવત્તાવાળા અને વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગમાં, જેમાં સ્થાનિક ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે, સતત રોકાણ વધારી રહ્યા છીએ. કોમ્પ્લેક્સ અને હાઇ-બેરિયર દવાઓના ક્ષેત્રમાં કાર્ય કરીને, અમે હેલ્થકેર સિસ્ટમમાં દવાઓની ઉપલબ્ધતાને વધુ ટકાઉ બનાવવા માટે શક્યતાઓને નવી રીતે પરિભાષિત કરી રહ્યા છીએ.
અમે એમનીલ છીએ. અને અમે સૌ માટે દવાઓ સુલભ બને તે માટે શક્યતાઓને નવી રીતે પરિભાષિત કરી રહ્યા છીએ.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ShriManojJoshi(Secretary,DepartmentofPharmaceuticals) #GovernmentofIndia #DepartmentofPharmaceuticalsSecretaryShriManojJoshivisitsAmnealPharmaceuticalsinAhmedabad



