ઈસકોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા કડીમાં પ્રથમ વખત શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું આયોજન કરવામાં આવ્યું.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
25 ફેબ્રુઆરી 2026:
ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ (૧૪૮૬–૧૫૩૪) હરિનામ સંકીર્તન આંદોલનના પ્રણેતા હતા. તેમણે ભક્તિ, પ્રેમ અને સમાનતાનો સંદેશ આપ્યો. તેમના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ મહોત્સવ ઉજવવામાં આવે છે.


મહોત્સવ દરમિયાન મહા અભિષેકમ, પાલકી ઉત્સવ, ફૂલોની હોળી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભગવદ્-ગીતા પાઠ યોજાયો.
કડી ના માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રકુમાર ચાવડા સહિત અનેક મહાનુભાવોએ આયોજનની પ્રશંસા કરી.
શ્રી જગનમોહન કૃષ્ણ દાસ, અધ્યક્ષ, ઈસકોન હરે કૃષ્ણ મંદિર, ભાડજએ જણાવ્યું:

“શ્રી ચૈતન્ય મહાપ્રભુએ હરિનામ સંકીર્તન દ્વારા વિશ્વને પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો. આજના સમયમાં તેમનો સંદેશ સમાજમાં આધ્યાત્મિક શક્તિ અને સૌહાર્દ વધારવા માટે અત્યંત જરૂરી છે. કડીમાં પ્રથમ વખત આ મહોત્સવ ઉજવવો એ અમારે માટે ગૌરવની વાત છે.”

કાર્યક્રમનો સમાપન મહાપ્રસાદ વિતરણ સાથે થયો.
વધુ માહિતી માટે સંપર્ક કરો: શ્યામ ચરણ દાસ – 9904272229
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #FirstSriChaitanyaMahotsavCelebrationinKadikhate #ISKCON #HareKrishnaTemple-Bhadj #SriChaitanyaMahotsav #FlowerHoli #ahmedaba



