ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે
પથિક લીંબાચિયા, અમદાવાદ:
24 સપ્ટેમ્બર 2025:
ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ દરમિયાન ઉપવાસ રાખનારા મહેમાનો માટે એક સ્પેશિયલ “નવરાત્રી થાળી” તૈયાર કરવામાં આવી છે. નવરાત્રીની આધ્યાત્મિક અને રસોઈકળાને અનુરૂપ બનાવવામાં આવેલી આ થાળીમાં વિવિધ પ્રકારની સાત્વિક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્પેશિયલ “નવરાત્રી થાળી”, સાબુદાણાના વડા, સાગો કટલેટ, પનીર મખની, ખાટ્ટા મીઠા કદ્દુ, સમક રાઈસ અને કુટ્ટુ પુરી જેવી અનેક વાનગીઓ સાથે આ ઉત્સવનું પૌષ્ટિક ભોજન પ્રસ્તુત કરે છે. ભોજનના અંતે, રાજગીરાના લાડુ અને સાબુદાણાની ખીર જેવી મીઠાઈઓ ઉત્સવના આનંદમાં વધારો કરે છે. આ “નવરાત્રી થાળી” ખાસ કરીને ગરબા રસિકોને પસંદ આવે તે રીતે બનાવવામાં આવી છે, જે ખરેખર વાઈબ્રન્ટ ગરબા ઉત્સવ પહેલા અને પછી પૌષ્ટિક ભોજન પ્રદાન કરે છે. આ સ્પેશિયલ થાળી, એ વાસ્તવમાં, શુદ્ધ અને અધિકૃત રસોઈકળા દ્વારા સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન કરવાની ધી લીલા ગાંધીનગરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.