- એસજીવીપી અને ફાઉન્ડેશન ફોર પીસફુલ ચેન્જ દ્રારા વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમની દ્રારા વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થનાનું આયોજન કરાયું:
પથિક લીંબાચિયા, અમદાવાદ:
25 માર્ચ 2026:
એસજીવીપી (શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ) અને ફાઉન્ડેશન ઓફ પીસફુલ ચેન્જ દ્રારા, “મે પીસ પ્રિવિલ ઓન અર્થ” (પૃથ્વી પર શાંતિ સ્થપાય) સંસ્થાના સહયોગમાં “વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમની” દ્રારા વિશ્વમાં શાંતિ માટે એક પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહ પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં “વસુધૈવ કુટુંબકમ” (એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે)ના પવિત્ર સિધ્ધાંત હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમના ઋષિ કુમારો દ્રારા પરંપરાગત વૈદિક સંસ્કૃત શ્લોકગાન સાથે થઈ હતી અને પૂર્ણાહુતિ ઉપનિષદના ‘શાંતિ પાઠ’થી કરવામાં આવી હતી, જેમાં તમામ જીવોના સ્વાસ્થ્ય અને સુખની પ્રાર્થના કરવામાં આવી હતી. આ વૈશ્વિક શાંતિ સમારોહમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો; ડો. મુકુંદ પટેલ (શાંતિ સંશોધક); જાપાનના ગોઈ પીસ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ શ્રી હિસાકો ઓમાગારી (પર્યાવરણ નિષ્ણાત, જાપાન વેધર એસોસિએશન) અને શ્રી યાસુકો યામાગુચી; તેમજ ડો. હંસા ઠાકર વૈશ્વિક સંવાદિતા માટે જોડાયા હતા.

અફઘાનિસ્તાનથી લઈને ઝિમ્બાબ્વે સુધીના દરેક રાષ્ટ્ર અને પૃથ્વીના ખૂણેખૂણા માટે વ્યક્તિગત પ્રાર્થનાઓની સાથે “પૃથ્વી પર શાંતિ સ્થપાય”નો (મે પીસ પ્રિવિલ ઓન અર્થ) નાદ ગુંજી ઉઠ્યો હતો. તમામ રાષ્ટ્રો, પૃથ્વી અને અન્ય તમામ વૈશ્વિક પ્રદેશો માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ સમારોહ “વિસ્વદેશી” પ્રત્યેની પ્રતિબધ્ધતાનો એક ગહન પ્રયાસ હતો — એક એવો વિચાર કે શાંતિ એ દરેક અલગ દેશના “સ્વદેશી”ને જોડતો એક સમાન તાંતણો અને “વૈશ્વિક સ્વદેશી આત્મા” છે.
શાંતિ નિષ્ણાત ડૉ. મુકુંદ પટેલે જણાવ્યું હતું કે, “શાંતિ એ બ્રહ્માંડનો એક સ્વદેશી (Indigenous) ખ્યાલ છે. જ્યારે શાંતિ અને જીનિયસ (પ્રતિભાશાળી મન) વૈશ્વિક સ્તરે એકસાથે આવે છે, ત્યારે આપણે એક “ઇન્ડિજીનિયસ – વિસ્વદેશી” ચળવળનું (IndiGenius—ViSwadeshi) સર્જન કરીએ છીએ જે તમામ રાષ્ટ્રીય સીમાઓથી પર છે.” શાંતિ એ માત્ર એક લક્ષ્ય નથી, પરંતુ બ્રહ્માંડની એક સ્વદેશી સ્થિતિ અને “વૈશ્વિક સ્વદેશી આત્મા” છે.
શાંતિનું સૂત્ર (The Peace Formula) નીચે મુજબ વ્યક્ત કરી શકાય:
સત્ય + અહિંસા = શાંતિ
સત્ય – અહિંસા = અશાંતિ
“સત્યનું અહિંસક રીતે પાલન શાંતિપૂર્ણ વિશ્વ તરફ લઇ જાય છે.”
“સાહસ વિના શાંતિ શક્ય નથી; શાંતિ વિના સાહસ શક્ય નથી.”
“ઉદ્યોગ-સાહસિકતા અને વ્યવસાય વિના શાંતિ શક્ય નથી; અને શાંતિ વિના ઉદ્યોગ-સાહસિકતા અને વ્યવસાય શક્ય નથી.”
“ઇન્ડિજીનિયસ – વિસ્વદેશી” અમલીકરણ વિના શાંતિ શક્ય નથી “
વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમનીમાં પ્રાચીન વૈદિક મંત્રોચ્ચાર અને વૈશ્વિક બંધુત્વના આધુનિક આહવાનનો સમન્વય જોવા મળ્યો હતો. તે એક સુંદર સ્મૃતિ હતી કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આ પ્રસંગ માત્ર તેજસ્વી કે પ્રતિભાશાળી મન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે સમર્પિત કરુણાસભર આત્માઓ કેળવવાના આપણા મિશનને વધુ મજબૂત બનાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GlobalUnity #ConfluenceofVedicKnowledge #Indigenous-WorldwideMovement #SGVP #FoundationforPeacefulChange #WorldPeaceFlagCerem #PeaceintheWorld #ahmedaba



