- 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોને ઓટીઝમ થેરાપી પાછળ વાર્ષિક રૂ. 10,00,000 સુધી મદદ કરાશે
- વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમ પીડીત હોય છે
નીતા લીંબાચિયા, અમદાવાદ:
01 એપ્રિલ 2025:
તા. 2 એપ્રિલને વિશ્વભરમાં વર્લ્ડ ઓટીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા ઓટીઝમનાં સમયસર નિદાન અને સારવારમાં અમદાવાદનાં ડોકટરોનાં રિસર્ચનો સિંહફાળો રહ્યો છે અને વિશ્વભરનાં ડોકટરો તેમજ રિસર્ચ વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોમાં અમદાવાદ-ગુજરાતનાં ડોકટરોએ કરેલા રિસર્ચનો વિશેષ ઉલ્લેખ કરે છે.

વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે વિશેષ માહિતી આપતાં ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટીક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશ્યાલિટી હોમિયોપેથી ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, જીનેટીક સાયન્સમાં ઓટીઝમ વિશેના રિસર્ચો તેની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે. આ રિસર્ચથી સારવારની પધ્ધતિમાં સરળતા આવતાં સમયસર સુધારો અને સચોટ સારવાર શક્ય બની છે.
આ અંગે વધુમાં માહિતી આપતાં ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટીક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશ્યાલિટી હોમિયોપેથી ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓટીઝમની સારવાર અંગે જાગૃતતા લાવવી અતિ આવશ્યક છે. જેથી આવતીકાલ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડેની શરૂઆતથી સમગ્ર વર્ષ દરમિયાન ઓટીઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરીયાતમંદ બાળકોની સારવાર, જીનેટીક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલ થેરાપી પાછળ વાર્ષિક રૂ. 10,00,000 સુધીની મદદ ડોકટરો દ્વારા કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં ઓટીઝમનાં ક્ષેત્રમાં સારવાર અને રિસર્ચ કરનારા એલોપેથીક, હોમીયોપેથીક આર્યુવેદિક જેવી તમામ શાખાના ડોકટરો સંયુક્તપણે થેરાપી કરનાર સાથે રહી, ઝડપી સારવાર અને સુધારો લાવવા કટીબધ્ધ છે.

પીડિયાટ્રીક ન્યુરોલોજીસ્ટ ડો. હર્ષ પટેલે જણાવ્યું હતું કે જો બાળકનું નિદાન ચાર વર્ષ કે તેની પહેલાં કરવામાં આવે તો તેના સામાન્ય થવાના સંજોગો 90 ટકા જેટલા હોય છે. 10 ટકા બાળકો દુનિયાભરની કોઈપણ સારવારથી સારા થતા નથી તેમાં ઓટીઝમની સાથે બાળક મેટાબોલીક ન્યુરોપેથી (Metabolic Neuropathy) અથવા માઈટોકોન્ટીલ ન્યુરોપેથી (Mitochondrial Neuropathy) નામની બિમારીથી પિડીત હોય છે.
વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અંગે શિશુ ચાઇલ્ડ ડેવલપમેન્ટનાં ડો દિપીકા જૈન અને સીજીસી ડો. લક્ષિતા ચૌહાણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીતા હોય છે. આ આંકડો અત્યંત ભયજનક ગણવામાં આવ્યો છે. કારણકે વિશ્વભરમાં કેન્સરગ્રસ્ત ડાયાબીટીસ અને HIV જેવા જીવલેણ રોગોથી પીડાતા બાળકોની ટકાવારી કરતાં ઓટીઝમથી પીડીતા બાળકોની સંખ્યા વધારે છે.
ઓટીઝમ શું છે?
બાળકોમાં 18થી 24 મહિનાની ઉમરમાં નિદાન થતી, ન્યુરોલોજીકલ, એન્ડ્રોલોજીકલ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ સિસ્ટમને અસર કરનાર બિમારી છે, જેના લક્ષણો નીચે મુજબ છે. બાળકનું બોલવાનું સમયસર આવતુ નથી કે તદ્દન આવતુ નથી, થોડા શબ્દો બોલી આગળ વાકેથનો પ્રયોગ ન કરી হাট.
ઘરના સભ્યો જેવાકે માતા, પિતા, ભાઈ, બહેન સાથે જરૂરથી નજર ના મેળવે.
પોતાની ઉંમરના બાળકો રમતા હોય તો તેની સાથે ન રમે ને દૂર જઈ એકલો રમવાનું પસંદ કરે.
કારણ વગર હસ્યા કરે રડયા કરે.
- કોઈ એક રમકડું, વસ્તુ કે કપડાના ટુકડાથી લાંબાસમય સુધી રમવું, સાથે લઈને સુઈ જવું.
હાથની આંગળીઓ હલાવવી, કુદકા મારવા, એક જ જગ્યાએ ગોળગોળ ફરતાં રહેવું.
મીક્ષર, વેક્યુમ ક્લિનર કટાકડાના અવાજથી ડરીને કાન ઉપર હાથ રાખવા.
વસ્તુઓ ફેકવી અને ચીસો પાડવી.
પોતાના શરીરને દાંત વડે ઈજા પહોંચાડવી, દિવાલ સાથે માથુ અથડાવવું.
ઉપરોક્ત લક્ષણોમાંથી બે કે વધારે લક્ષણો બાળકમાં જોવા મળે તો તમારા બાળકને ડોક્ટરને બતાવી ઓટીઝમનું નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી. જો તમારા બાળકનું ઓટીઝમ કે તેના જેવી બિમારીનું નિદાન જેટલું નાની ઉંમરમાં થાય તો બાળકને આ લક્ષણોમાંથી સારા કરવાના ચાન્સ વધી જાય છે.
દુનિયાભરના વૈજ્ઞાનિકો, ડોક્ટરો, યુનિવર્સિટીઝ ફાર્માસ્યુટિકલ અને ડાયગ્નોસ્ટીક કંપની ઓટીઝમનું નિદાન ઝડપથી થાય તે અંગે પ્રયાસો કરી રહ્યા છે.
આ બિમારી અંગે લોકોને જાણકારી મળે તે માટે 2 એપ્રિલને દર વર્ષે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ દિવસ તેમજ આખા એપ્રિલ મહિનાને ઓટીઝમ અવેરનેસ મંથ (મહિનો) જાહેર કરી ઓટીઝમ અંગે માહિતી મળે ને જાગૃતિ ફેલાય તેના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) ઉપર મુજબ જાહેર કર્યું છે.
આ મહિના દરમિયાન દુનિયાભરની જાણીતી જગ્યાઓને બ્લુ લાઈનથી સજાવવામાં આવે છે. જેમ કે સિડની ઓપેરા-ઓસ્ટ્રેલિયા, બુઝ ખલિફા- દુબઈ, ઢળતા મિનારા- ઈટાલી, લંડન બ્રિજ- યુકે, ગીઝાના પીરામીડ- ઈજીપ્ત, એફિલ ટાવર- ફ્રાન્સ (પેરીસ)ને વાદળી લાઈટથી સજાવવામાં આવે છે.
ઓટીઝમનું નિદાન
18 મહિનાની ઉંમરના બાળકથી લઈ 30 મહિનાની ઉંમરના બાળકોમાં જોવા મળતી આ બિમારી કોઈ એક ટેસ્ટ કે અન્ય મેડિકલ રિપોર્ટ જેવા કે CT SCAN, MRI SCAN, PET SCAN કે EEG થી જાણી શકાતી નથી, તે માટે ઉપરોક્ત રિપોર્ટ સિવાય નીચેના બે તબક્કામાં નિદાન થઈ શકે છે.
પહેલા તબક્કામાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે નહિ તે જાણવા માટે બાળકની શીખવાની ક્ષમતા, તેની બોલવાની રીત, શબ્દોને વાક્યો સાથે તેના ચહેરાના હાવભાવનો અભ્યાસ કરી તેની નોંધ રાખી ચોક્કસ સમય અંતરે જેમ કે 12 મહિના. 18 મહિના કે 24 મહિના એટલે કે 2 વર્ષની ઉંમરે બાળકોનો વિકાસ દર (શારીરિક અને માનસિક) (Physical & Mental Development) ને ધ્યાનમાં રાખી નિદાન કરવામાં આવે છે. આ ઉપરોક્ત અભ્યાસમાં બાળકના માતા પિતા, તેના ડોક્ટર્સ બાળકની સંભાળ રાખનારને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રશ્નોત્તરીના જવાબ આધારે નિદાન કરવામાં આવે છે.
બીજા તબક્કાનું નિદાન આ રોગના નિષ્ણાંત ડોક્ટરો જેવા કે ડેવલેપમેન્ટ પીડિયાટ્રીસિયન કે Child Neurologist 3 Child Psychiatrist / Psychologist (બાળકના જ્ઞાનતંતુ તેમજ વર્તણૂકના રોગના નિષ્ણાંત) અને DAN (Defeat Autism Now) ડોક્ટર્સ દ્વારા થતી હોય છે.
ઓટીઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરના કારણો
દુર્નિયાભરના ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકો આ બિમારીના કારણો જાણવા પ્રયત્નો કરે છે પણ કોઈ એક ચોક્કસ કારણ સુધી આવી શક્યા નથી પરંતુ જુના કેસ/ નવા કેસની મેડિકલ હિસ્ટરી રેકોડ અને તેમાં રહેલી સમાનતા – વિસંગતતા પરથી નીચેના તારણો પર આવ્યા છે.
માતો ના શરીરમાં રહેલું Chronic Infection જે બાળકના માનસિક વિકાસને ગર્ભાવસ્થા દરમિયાન અસર કરે જેમ કે
Torch Infection.
માતામાં રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથીને કારણે હોરમોનમાં રહેલી અસમાનતા, થાઈરોડની ઉણપ
વાતાવરણમાં રહેલું પ્રદુષણ, પીવાના પાણીમાં રહેલું પ્રદુષણ
જીનેટીક ડીસઓર્ડર
કુટુંમ્બના સભ્યોમાં રહેલી ટ્યુબરક્યુલોસીસની બિમારી Epilepsy & Selzure Disorder
સેરોટોનીન અને ન્યુરોટ્રાન્સમીટરને લગતી બિમારી
MMR નામની રસી મુકાવ્યા બાદ ઘણાં બાળકોમાં ઓટીઝમના લક્ષણો જોવા મળે છે. દુનિયાભરના ડોક્ટરોમાં આ બાબતે ભિન્ન-ભિન્ન મત આવતા રહે છે. CDC (CDC – Centres for Disease Control & Prevention)નાં જણાવ્યા પ્રમાણે દુનિયામાં જન્ય લેતા 36 બાળકમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીત છે અને આ આંકડો ભયજનક ગણવામાં આવ્યો છે. કેમ કે તે કેન્સર, ડાયાબીટીસ અને HIVના બાળકોના સરવાળા કરતા વધારે છે.
સારવાર
હોમિયોપેથીમાં ઓટીઝમની સચોટ અને સમય સાથેની સારવાર સંભવ છે. દુનિયાભરના ડોક્ટર્સ તેમના પોતાના ઓટીસ્ટીક બાળકને હોમિયોપેથી સારવાર આપવાનું પસંદ કરે છે. વિશ્વભરમાં હોમિયોપેથી ઓટીઝમની સારવાર માટે પ્રચલિત છે. મોર્ડન મેડિકલ સાયન્સ એટલે કે એલોપેથીમાં ઓટીઝમ માટે કોઈ મેડિકલ સારવાર નથી, બાળકની હાયપર એક્ટીવીટી (Hyperactivity)ને કંટ્રોલમાં લેવા રેસ્પરીડોલ નામની દવા આપવામાં આવે છે. હોમિયોપેથી દવાની સાથે આહાર નિયંત્રણ અને શારીરિક કસરત એમ ઉપરોક્ત ત્રણ બાબત ઉપર ધ્યાન આપવાથી બાળકને ઓટીઝમમાંથી સામાન્ય બનાવી શકે છે.
બાળક હોમીયોપેથીની સારવારથી 9 મહિના પછી બોલવાનું શરૂ કરે ત્યારે બાળકને 2 મહિના સ્પીચ થેરાપી આપવાથી બોલવાનું સારી રીતે આવી શકે છે.
સારવારના 16 મહિના પછી બાળકને 3 મહિના માટે ABA સારવાર કરાવવાથી બાળકમાં બાકી રહેલો સુધારો ઝડપથી લાવી શકાય છે.
સારવારની શરૂઆત કઈ રીતે કરવી.
ઓટીઝમના લક્ષણો માલુમ પડે તો નજીકના બાળરોગ નિષ્ણાત પાસે તેમજ આ સારવારના અનુભવી ડોક્ટર્સ પાસે!
બાળકને નિદાન કરાવી સારવાર ચાલુ કરવો. હોમિયોપેથીક દવાના પહેલા 120 દિવસની સારવાર દરમિયાન તમામ બાળકમાં સુધારો જોવા મળશે અને ત્યારબાદ દર 60 દિવસે સુધારોને લગભગ 225 મહિનાની દવાથી બાળક સામાન્ય थशे.
ઉપરોક્ત સારવાર સાથે તમારા બાળકને GFCF DIET એટલે કે દૂધ અને દૂધની બનાવટ તેમજ ઘઉંને તેની બનાવટ સંપૂર્ણ બંધ કરવાની રહેશે. દૂધની બનાવટ જેમ કે દહીં, છાસ, માખણ, ચીઝ બંધ કરવું ને તેના બદલે બાળકને સોયા, બદામ કે નાળીયેરનું દૂધ આપવું. ઘઉંની બનાવટ જેમ કે રોટલી, ભાખરી, બિસ્કીટ બંધ કરી બાજરી, ચોખા અન્ય કઠોળ દરેક પ્રકારના લિલા શાકભાજી આપવા.
બાળકને દોડાવવું, ઝડપથી ચલાવવું, સાયકલીંગ, સ્કેટીંગ તેજમ સ્વિમીંગ કરવાથી ઝડપથી સુધારો જોવા મળે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ama #ahmedabadmanagementassociation #epilepsy #selzuredisorder #worldautismawarenessday #ahmedabad
