અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
13 ડિસેમ્બર, 2024 :
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ, બે દાયકાથી વધુ સમયથી સ્પાઇન કેરમાં અગ્રણી છે, જે તેના અદ્યતન ડાયગ્નોસ્ટિક સાધનોમાં ઓપન સ્ટેન્ડિંગ વેઇટ બેરિંગ MRI (Esaote SpA ઇટાલી દ્વારા ઉત્પાદિત) લઇને આવ્યું છે. સ્પાઇન ડાયગ્નોસ્ટિક્સની જરૂરીયાને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરાયેલ આ નવીન તકનીક, સિટિંગ, સ્ટેન્ડિંગ અને સ્પાઇનમાં ઇમેજિંગને સક્ષમ કરે છે, સ્પાઇનની સ્થિતિનું નિરિક્ષણ કરવામાં સારા પરિમાણો પ્રદાન કરે છે. આ સાધનનો ઉમેરો નૈતિક સંભાળ, પારદર્શિતા અને દર્દીને સારા પરિણામ પ્રદાન કરવાની સ્તવ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ઓપન સ્ટેન્ડિંગ MRI સાથે ડાયગ્નોસ્ટિક્સમાં પરિવર્તન
પરંપરાગત MRIમાં દર્દીઓને સારા-રિઝોલ્યુશન ઇમેજિંગ માટે સપાટ સૂવું જરૂરી છે, જ્યારે ઓપન સ્ટેન્ડિંગ ઇસૌટે એમ.આર.આઈ કરોડરજ્જુના વેઈટ બેંરીંગ સાથે આકારણી માટે પરવાનગી આપે છે. આ મશીન ખાસ કરીને સ્કોલિયોસિસ, ડીજનરેટિવ ડિસ્ક રોગ અને કરોડરજ્જુની અસ્થિરતા જેવી પરિસ્થિતિઓના મુવમેન્ટ મૂલ્યાંકન માટે અનુકૂળ છે. ખાસ ક્લોસ્ટ્રોફોબિયા અથવા ડર ધરાવતા દર્દીઓ માટે પરંપરાગત MRI મશીન કરતા ઓપન સ્ટેન્ડિંગ MRI વધુ આરામદાયક છે. વધુમાં, આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘૂંટણ અને નિતંબના વેઇટ-બેરીંગ સ્થિતિ ઇમેજ કરવા માટે પણ કરી શકાય છે, જે જોઇન્ટ સંબંધી સ્વાસ્થ્ય સમસ્યામાં સચોટ નિદાન આપે છે.
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના સ્પાઇન સર્જન ડો. મિરાંત દવેએ જણાવ્યું કે, “અમારી ડાયગ્નોસ્ટિક ફિલોસોફી વાસ્તવિક જીવનમાં કરોડરજ્જુ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની છે. ઓપન સ્ટેન્ડિંગ Esaote’s MRI અમને દબાણ હેઠળ કરોડરજ્જુના કાર્યનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે, જેનાથી સર્જરી કરવાની જરૂર છે કે સર્જરી વગર સારવાર કરી શકાશે, તે અંગે નિદાન કરવામાં મદદ કરે છે. જે નૈતિક અને સચોટ સંભાળ આપવાના અમારા મિશનમાં મહત્વનું પગલું છે.”
ઓપન સ્ટેન્ડિંગ એમ.આર.આઈ એવી પરિસ્થિતિઓ માટે આવશ્યક છે જ્યારે ક્રિયાશીલ અને શરીરના હલનચલન સાથે કાર્યાત્મક ઇમેજિંગ મહત્વપૂર્ણ હોય છે.
સ્તવ્ય ખાતે અદ્યતન સ્પાઇન કેરઃ
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલે અદ્યતન ટેકનોલોજી, નિષ્ણાત તબીબ ટીમ અને દર્દીના પ્રથમ ખ્યાલને સંયોજિત કરીને સ્પાઇન કેરની સંભાળ માટે શ્રેષ્ઠ કેન્દ્ર તરીકે પોતાને અલગ પાડ્યું છે. ભારતની એકમાત્ર હોસ્પિટલ છે કે જે સ્પાઇન કેર માટે વિશેષરૂપે સમર્પિત છે, સ્તવ્ય અદ્યતન સારવાર અને નિદાનની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે:

- સ્પાઇન સર્જરીમાં રોબોટિક્સ: ખાસ ચોકસાઇ અને ઓછા જોખમ સાથે જટિલ પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવી.
- એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી: ઓછી અગવડ અને ઝડપી સાજા થવા માટે ઓછા જોખમ સાથેની અસરકારક સારવાર.
- જર્મન એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી: લાંબા સમયની સમસ્યામાં સાજા થવા માટે સુયોજિત અને અસરકારક તકનીક.
સ્પાઇન કેરમાં સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરવા માટે આ તકનીકોને સ્તવ્યના માળખામાં કાળજીપૂર્વક સંકલિત કરવામાં આવી છે. દરેક દર્દીના નિદાન-સારવાર અને સાજા થવા સુધીની સફરમાં તેમની ચોક્કસ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે, અને શ્રેષ્ઠ પરિણામો દ્વારા સ્પાઇન કેરની ખાતરી આપવામાં આવે છે.
સ્તવ્યના ડાયરેક્ટર અને સ્પાઇન સર્જન ડૉ. ભરત દવેએ જણાવ્યું હતું કે, “સ્તવ્ય ખાતે, અમે અમારા દર્દીઓને સ્પાઇન કેર પૂરી પાડવા માટે શ્રેષ્ઠ ટેકનોલોજી, ટેલેન્ટ અને સારવાર પદ્ધતિઓને એકીકૃત કરવા પ્રાથમિકતા આપી છે. ઓપન સ્ટેન્ડિંગ MRI આ અભિગમને પૂરક બનાવે છે, જે અમને ડાયનેમિક ઇમેજિંગની જરૂર હોય તેવી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવા અને સારવાર કરવામાં મદદ કરે છે.
સ્તવ્ય ખાતે નિષ્ણાતોની ટીમ
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ તેમના કુશળ સ્પાઇન સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટની ટીમ પર ગર્વ કરે છે જેઓ શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે. સર્જિકલ ટીમમાં શામેલ:

• ડો. ભરત દવે
• ડૉ. મિરાંત દવે
• ડૉ. અજય કૃષ્ણન
• ડો. હિતેશ મોદી
• ડૉ. શિવાનંદ માયી
• ડૉ. રવિરંજન રાય
• ડૉ. મુકેશ પટેલ
• ડૉ. દેવાનંદ દેગુલમાડી
સ્તવ્યની ટીમ અદ્યતન સર્જિકલ તકનીક અને યોગ્ય નિર્ણય દ્વારા સ્પાઇનની જટિલ પરિસ્થિતિઓની સારવાર કરવામાં દાયકાઓનો અનુભવ અને કુશળતા ધરાવે છે. ટીમનો સહયોગી અભિગમ સર્જિકલ અને પરંપરાગત બંને સારવારમાં દરેક દર્દીને સૌથી વધુ અસરકારક સંભાળ મળે તે સુનિશ્ચિત કરે છે
સ્તવ્ય પાસે વિશ્વ-કક્ષાની ફિઝિયોથેરાપી ટીમ છે, જેનું નેતૃત્વ ડૉ. આકૃતિ દવે કરે છે, જે સર્જનો સાથે દર્દીઓની સારવારમાં સંકલન કરે છે. તેમનું ધ્યાન દર્દીઓને સર્જરી બાદ અથવા સર્જરી વગરની સારવારમાં ફરી શ્રેષ્ઠ ગતિવિધી પ્રદાન થાય તેનું સંચાલન કરવાનું છે.
ફિઝિયોથેરાપી અને સ્પાઇન હેલ્થ ચેકઅપ

ફિઝિયોથેરાપી એ સ્પાઇન કેરનો પાયો છે, અને સ્તવ્ય સર્જિકલ અને નોન-સર્જિકલ બંને સારવારમાં તેની ભૂમિકા પર ભાર આપે છે. ઓપન સ્ટેન્ડિંગ MRI જેવા સાધનો દર્દીની સમસ્યાને સમજના અને તેને અનુરૂપ સારવાર માટે મહત્વના છે.
ફિઝિયોથેરાપીના વડા ડો. આકૃતિ દવેએ જણાવ્યું હતું, “દર્દીને સાજા થવામાં ફિઝિયોથેરાપી મહત્વની ભૂમિકા ભજવે છે. ઓપન સ્ટેન્ડિંગ MRI અમને કરોડરજ્જુના કાર્યને વધુ અસરકારક રીતે સમજવામાં મદદ કરે છે, જે વ્યક્તિગત સારવારની યોજનાઓ તૈયાર કરવા માટે જરૂરી છે. તે નોન સર્જિકલ સંભાળના વિકલ્પોને પસંદ કરતા દર્દીઓને મદદ કરવાની અમારી ક્ષમતાને પણ વધારે છે.
રિહેબ સેન્ટર ઉપરાંત, સ્તવ્યએ સ્પાઇન હેલ્થ ચેકઅપ્સ શરૂ કર્યા છે, જે સ્પાઇન સંબંધિત સમસ્યાઓને વહેલીતકે શોધી અને તેના નિવારણનો ઉદ્દેશ્ય ધરાવે છે. ઓપન સ્ટેન્ડિંગ MRIની ડાયનેમિક ઇમેજિંગ આ ચેકઅપમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે નાનામાં નાની સમસ્યાને શોધી અને અસરકારક સારવારમાં મદદ કરે છે.
ડો. આકૃતિ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, “સ્પાઈન હેલ્થ ચેકઅપ એ સમસ્યાઓને વહેલી તકે ઓળખવા માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને બેઠાડુ જીવનશૈલી અને ક્રોનિક પીઠનો દુખાવો ધરાવતી વ્યક્તિઓ માટે આ જરૂરી છે. ઓપન સ્ટેન્ડિંગ MRI અમને દર્દીઓને તેમના સ્પાઇન હેલ્થ અંગે વિગતવાર સમજણ આપવામાં મદદ કરી અને સમયસર સારવાર દ્વારા વધુ જટિલ સ્થિતિનું સર્જન થતા અટકાવી શકે છે.
ટ્રસ્ટના બે દાયકા અને વૈશ્વિક કામગીરીઃ
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલે 20 વર્ષમાં વિશ્વાસનો વારસો બનાવ્યો છે, જેમણે સમગ્ર ભારત અને વિશ્વના હજારો દર્દીઓની સારવાર કરી છે. દર્દીઓ માત્ર સ્તવ્યની અદ્યતન ટેક્નોલોજીને કારણે જ નહીં પરંતુ હોસ્પિટલની નૈતિકતા અને દર્દી-પ્રથમ સંભાળની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે તેમની તરફ વળે છે.
ક્લિનિકલ સારવાર ઉપરાંત, સ્તવ્યએ 100 થી વધુ સ્પાઇન સર્જનોને તાલીમ આપી છે, જેમાંથી ઘણા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેક્ટિસ કરે છે. શિક્ષણ અને માર્ગદર્શન દ્વારા સ્તવ્યએ સ્પાઇન કેરમાં વૈશ્વિક પ્રગતિમાં યોગદાન આપ્યું છે, અને હોસ્પિટલની બહાર પણ તેમની કુશળતા પહોંચે તેની ખાતરી કરી છે.
ભવિષ્યનો સંકલ્પઃ એશિયાની સૌથી મોટી એક્સક્લુઝિવ સ્પાઇન હોસ્પિટલ
ભવિષ્યને જોતાં, સ્તવ્ય વર્ષ 2025માં એક નવું સેન્ટર ઑફ એક્સલન્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે એશિયાની સૌથી મોટી અને વિશિષ્ટ સ્પાઇન હોસ્પિટલ હશે. આ લેન્ડમાર્ક ફેસિલિટી સ્તવ્યની ક્ષમતાને વિસ્તૃત કરશે, જેમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક અને સારવાર, દર્દી સંભાળની ક્ષમતામાં વધારો અને સંશોધન અને શિક્ષણ માટે સમર્પિત જગ્યા છે. આ પ્રોજેક્ટ વૈશ્વિક સ્તરે સ્પાઇન કેરમાં મોખરે રહેવાની સ્તવ્યની મહત્વાકાંક્ષાને દર્શાવે છે.
મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અમિતા દવેએ જણાવ્યું હતું કે, “અમે આ નવા ચેપ્ટર માટે તૈયારી કરી રહ્યાં છીએ, જેમાં અમારું ધ્યાન અમારા દર્દીઓનો વિશ્વાસ જાળવી રાખવા પર છે. ઓપન સ્ટેન્ડિંગ MRI એ માત્ર એક નવું નિદાન સાધન નથી – તે અમારી પારદર્શિતા, સિદ્ધાંતો અને પ્રત્યેક વ્યક્તિ માટે સૌથી યોગ્ય સંભાળ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાના મૂલ્યોને દર્શાવે છે.
ડાયગ્નોસ્ટિક્સમાં પારદર્શિતાનું મહત્વઃ
સ્તવ્યમાં, પારદર્શિતા તેની સારવારમાં કેન્દ્ર સ્થાને છે. ઓપન સ્ટેન્ડિંગ MRI ની રજૂઆત તે કોઈ અપવાદ નથી. આ ટૂલના સ્પષ્ટીકરણો અને હેતુઓને રજૂ કરીને સ્તવ્ય ખાતરી આપે છે કે દર્દીઓ તેમની સારવારમાં તેની ભૂમિકા સમજશે.
રેડિયોલોજિસ્ટ ડો. પ્રીતિ ક્રિષ્નને જણાવ્યું હતું કે,“ઓપન સ્ટેન્ડિંગ MRIએ સ્પાઇનના વેઈટ-બેરીંગની સ્થિતિના ઇમેજિંગ માટે એક મહત્વપૂર્ણ સાધન છે. સ્પાઇનની કાર્યાલક્ષી ક્ષમતા અંગે ચોક્કસ નિદાન માટે મહત્વનું છે. આ પારદર્શિતા દર્દીઓને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે અને તેમની સારવાર વિશે માહિતગાર કરવામાં મદદ કરે છે.”
#bharatmirror #bharatmirror21 #news #stavyaspinehospital #esaote #g.scan #mri #beyondconventionalmir #dr.bharatdave #gandhinagar #ahmedabad
