ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું
સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોમાંચક પ્રવૃત્તિઓએ બનાવી યાદગાર
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
01 ફેબ્રુઆરી, 2023:
હનુવંતિયામાં 28 નવેમ્બર 2022થી આયોજિત જલ મહોત્સવનો અંત આવ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ફેસ્ટિવલમાં બે મહિનામાં રેકોર્ડ 2 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા.

ટેન્ટ સિટીમાં 5000 થી વધુ પરિવારો રોકાઈને આ વિસ્તારના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે 28 નવેમ્બરે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પર્યટન, સંસ્કૃતિ અને ધાર્મિક ટ્રસ્ટ અને એન્ડોવમેન્ટ મંત્રી સુશ્રી ઉષા ઠાકુરે કર્યું હતું.

મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા પ્રવાસીઓને ડેસ્ટિનેશન ટૂર સાથે 360-ડિગ્રી પર્યટનનો અનુભવ આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલ જલ મહોત્સવ હવે વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ ઉભરી રહ્યો છે. હનુવંતીયામાં પ્રથમવાર સગાઈ, લગ્ન જેવા શુભ કાર્યક્રમો પણ યોજાયા હતા.
કેરળના પ્રખ્યાત કૈરાલી ગ્રુપ દ્વારા સ્થાપિત વેલનેસ સેન્ટરને પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. સ્કુબા ડાઇવિંગ, બોરિયામલ આઇલેન્ડ પર નાઇટ સફારી, લક્ઝરી રીગલ સિરીઝની બોટ, પેરામોટરિંગ, પેરાસેલિંગ, સ્પીડ બોટ, જેટ સ્કાય, હોટ એર બલૂનિંગ, મોટર બોટ રાઇડિંગ સહિતની વિવિધ સાહસિક પ્રવૃત્તિઓએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #mp #hanuvantiyajalmohotsav #ahmedabad
