મોરબી હોનારત: મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા
અશ્વિન લીંબાચિયા, મોરબી
31 ઓક્ટોબર, 2022:
મચ્છુ નદી પર બનેલો કેબલ પુલ તૂટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાને પગલે પુલ પર રહેલા સેંકડો લોકો નીચે મચ્છુ નદીમાં પટકાયા હતા. હાલ રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રિનોવેશન બાદ ખુલ્લો મૂકવામાં આવેલ પુલ અચાનક તૂટી પડતાં તેની ગુણવત્તા પર પણ સવાલ ઉઠવા લાગ્યાં છે.
મોરબી શહેરના મણીમંદિર નજીક મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો છે. જેના કારણે પુલ પર રહેલા 150 જેટલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે પૈકી 18 બાળકો સહિત 100 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ મુખ્યમંત્રીએ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને મોરબી પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની દુર્ઘટનામાં મૃતકોના પરિવારને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
જ્યારે રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પાલિકાના ચીફ ઓફિસરનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ
મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા પૈકી ૪૭ મૃતકોના નામની યાદી જાહેર
1.સુજલ હરેશભાઈ ચાવડા
2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13.અનિસાબેન આરીફશા સાહમદાર
14.આફ્રીદશા આરીફશા સાહમદાર
15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36.હુસેન દાઉદભાઈ- રાપર
37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43.ઝાલા સતિષભાઈ
ભાવેશભાઈ
44.મનસુખભાઈ છત્રોલા
45.નૈતિક મહેશભાઈ સોઢીયા
46.ભૂમિકાબેન રાયધનભાઈ
47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
#bharatmirror #bharatmirror21 #news #morbisuspensionbridge #ahmedabad