નીતા લીંબાચિયા, અમદાવાદ, 29 ઓક્ટોબર, 2022:
ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે
અમદાવાદ , ઓક્ટોબર 29, 2022 : ગુજરાત સાયન્સ સિટી શિક્ષણ અને મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ છે. સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, અનુભવો, વર્કિંગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, એક્ટિવિટી કોર્નર્સ, લેબ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશન સૌ કોઈને આકર્ષે છે.
રજાઓમાં લોકોના આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સાયન્સ સિટી 31 ઓક્ટોબર ને સોમવારે સરદાર જયંતી નિમિતે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
સ્થાપના થઈ ત્યાર થી ગુજરાત સાયન્સ સિટી તમામ ઉમરના મુલાકાતીઓ માટે પસંદગીનું સ્થળ બની ગઈ છે. ખાસ કરીને રજાઓની સિઝનમાં સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓનો ધસારો રહ્યો છે. ગયા વર્ષે દિવાળીના તહેવારોની રજાઓમાં રેકોર્ડ નંબર માં મુલાકાતીઓ સાયન્સ સિટી ની મુલાકાતે આવ્યા હતા. વિજ્ઞાન ના પ્રકાશ સાથે લોકોને જોડવા કટિબદ્ધ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓના આ ઉત્સાહને આવકારે છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratsciencecity #scienceandtechnology,govt.ofgujarat #ahmedabad