નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 16, 2022, અમદાવાદ
ગુજરાત સાયન્સ સિટીએ ઓઝોન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે વિદ્યાર્થીઓ માટે માનવીના કદ જેટલી સાપ અને સીડીની મનોરંજક ઓઝોન રમતનું આયોજન કર્યું હતું. આ રમત માં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા અને રમત થકી ઓઝોનનું મહત્વ અને તેનું આવરણ પાતળું થવા માટે જવાદાર પરિબળો વિષે જાણ્યું હતું.
આ ગેમ ખાસ કરીને ઓઝોન સ્તરના મહત્વ, તેને નષ્ટ કરતા પરિબળો અને તેમાં પડતાં ગાબડાં થી પૃથ્વીના જીવન પર થતી પ્રતિકૂળ અસર વિશે જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી છે.

ઓઝોન સ્તર એ ગ્રહની આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ છે, જે સૂર્યના હાનિકારક યુવી કિરણોને શોષી લે છે. જો ઓઝોન નું સ્તર ન હોય તો યુવી કિરણો થી વનસ્પતિ,પાક , પ્રાણીઓ અને ઇકો સિસ્ટમને નુકશાન થશે, ચામડીના કેન્સર, આંખમાં મોતિયા જેવા રોગો વધશે. જો ઓઝોનનું કવચ ના રહે તો પૃથ્વી પર જીવન શક્ય નથી.

ઓઝોન દિવસ ની ઉજવણી ની આ વર્ષ ની થીમ ‘ પૃથ્વી પર જીવન ની સુરક્ષા માટે વૈશ્વિક સહયોગ ‘ Global Cooperation Protecting Life on Earth’ છે.
35 વર્ષ પહેલા આ વિષય સાથે વિશ્વ એક સાથે આવ્યું હતું , પૃથ્વી ની જાણવણી ની જવાબદારી ના સંદર્ભમાં જ સાયન્સ સિટી દ્વારા 16 સપ્ટેમ્બર 2022 ના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ ના નેજા હેઠળ કાર્યરત સાયન્સ સિટી જનસમુદાય ને વિજ્ઞાન સાથે જોડતું લોકપ્રિય સ્થળ છે. નવા આકર્ષણો સાથે ફરી ખૂલ્યું ત્યાર થી મુલાકાતીઓ નો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે. મુલાકાતી ઓને મનોરંજન સાથે વિજ્ઞાન થી જોડી પૃથ્વી પર સહુ માટે વધુ સારા જીવન માટે જાગૃત અને જવાબદાર બને તે માટે સાયન્સ સિટી દ્વારા વિવિધ મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratsciencecity #ozoneday #ahmedabad
