અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 07, 2022, અમદાવાદ
હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી દેશમાં વધતા જતાં સાયબર ક્રાઇમ અંગેના અપરાધો સામે રક્ષણ મેળવવા તેમજ સાયબર અંગેની ગુનાખોરી ડામવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા હેતું, દેશમાં વસતા દરેક નાગરિક ને સાયબર ક્રાઇમ અંગેની સમજ મળે, તેમજ દરેક નાગરિક સાયબર ક્રાઇમ સામે પોતાનું રક્ષણ મેળવી શકે તે હેતુથી ગૃહ વિભાગ ગુજરાત સરકાર તેમજ ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા હેતુથી મહિનાના પ્રથમ બુધવાર ને “સાયબર જાગૃતા દિવસ” તરીકે ઉજવવા અંગે નિર્ણય લેવામાં આવેલ
હોય જે અંતર્ગત મહે. પો.મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ નાઓની આજ્ઞાનુસાર દરેક જિલ્લા ખાતે સાયબર ગૂરૂ વોલંટીયર નાઓ દ્વારા ફાળવવામાં આવેલ શાળાઓ ખાતે જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે રાખી અવેરનેસ પ્રોગ્રામ કરવા અંગે સુચનાઓ આપવામાં આવેલ હોય પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ
શ્રી આર.બી.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ સરકારી માધ્યમિક અને ઉછતર માધમિક શાળા જુહાપુરા સરખેજ ખાતે “સાયબર જાગૃતતા દિવસ” અંતર્ગત અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જે કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાયબર વોલંટીયર વિશાલકુમાર ભરતભાઇ શાહ તેમજ લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓ હાજર રહેલ હતાં.