ડભોઇ તાલુકાનું કરનાળી ખાતે નર્મદા નદી તટે આવેલ કુબેરભંડારી શિવાલય આસ્થાનું પ્રતિક અને પૌરાણીક શિવાલય છે. અમાસ સહિત સોમવાર ના દિવસે ભક્તો અહી મોટી સંખ્યા માં ભગવાન શિવને પૂજા અર્ચના કરવા આવતા હોય છે. હાલ ભગવાન શિવની આરાધના અને શિવ ને રિઝવવાનો પવિત્ર માસ શ્રાવન માસ ચાલી રહ્યો છે. ત્યારે દૂર દૂર થી ભક્તો ભગવાન શિવની આરાધના અને શ્રધ્ધા પૂર્વક દર્શન કરવા કુબેરભંડારી શિવ મંદિરે આવતા હોય છે. કુબેરભંડારી શિવાલય કરનાળી ખાતે ભક્તો નર્મદા સ્નાન કરી કુબેરભંડારી દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
નીતા લીંબાચીયા, અમદાવાદ
22 ઓગસ્ટ 2022:
કુબેર વિશ્રવા ઋષીનાં પુત્ર છે અને આ નાતે તે રાવણનાં મોટાભાઈ પણ થાય.
નર્મદા નદીને કિનારે કુબેરનો જન્મ થયાનું મનાય છે. જ્યાં તેમના પિતા ઋષી વિશ્રવા રહેતા હતા. આ પ્રદેશ ગંધર્વ રાજ્ય તરીકે પણ ઓળખાય છે.
કહેવાય છે કે તેમણે એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી
જેનાં વરદાન રૂપે બ્રહ્માએ તેમને અમરત્વ પ્રદાન કર્યું અને સંસારનાં તમામ ઐશ્વર્યનાં ખજાનચી બનાવ્યા અને જેમનાં ભાગ્યમાં હોય તેમને આ નિધિ આપવાની સત્તા સોંપી.
બ્રહ્માએ તેમને ધન-સંપતીનાં દેવ નિયુક્ત કર્યા બાદ લંકાને તેમની રાજધાની તરીકે સોંપી, ઉપરાંત તેમણે તેમને પુષ્પક વિમાન પણ આપ્યું કે જે ધારકની ઇચ્છામુજબ અને અદભુત વેગથી ગતી કરનારૂ હતું. જ્યારે રાવણે લંકા પડાવી લીધી ત્યારે કુબેર હિમાલયમાં પોતાના નગર અલ્કાપુરીમાં ચાલ્યા ગયા અને ત્યાં તેમણે યક્ષ સામ્રાજ્ય સ્થાપ્યું.
એમ પણ મનાય છે કે તેમની ભક્તિથી પ્રસન્ન થઇ અને ધનની દેવી આદિલક્ષ્મી તેમને ત્યાં નિવાસ કરતાં, તેમને વિશાળ સંપતિ પ્રદાન કરી તથા સંસારનાં તમામ ઐશ્વર્યના રક્ષક તરીકે તેમની નિમણુક કરી.
એક ધાર્મિક કથા મુજબ કુબેરે ભગવાન વિષ્ણુ કે વેંકટેશ્વરને તેમનાં દેવી પદ્માવતી સાથેનાં વિવાહ વખતે ધન ઉછીનું આપ્યું હતું.
આની યાદગીરી રૂપે, શ્રધ્ધાળુઓ આજે પણ તિરૂમાલા વેંકટેશ્વર મંદિર-તિરુપતિ જઇ અને ભગવાન વેંકટેશ્વરની હુંડીમાં સંપતિનું દાન કરે છે, જેથી તેઓ કુબેરને તેમનું ધન પરત કરી શકે. વિષ્ણુ પુરાણ અનુસાર આ પરંપરા કળિયુગનાં અંત સમય સુધી ચાલુ રહેશે.
કુબેર રાવણના સૌથી મોટા ભાઈ હતા અને તેની સાવકી માતા ના પુત્ર હતા. જયારે કુબેર ગાદી પર હતા, ત્યારે તેમની પાસે પુષ્પક વિમાન હતું, રાવણ આ ગાદી તેમજ પુષ્પક વિમાન મેળવવા માટે કુબેર ને હેરાન કરવા લાગ્યો. આખરે રાવણે શિવજીની આરાધના શરુ કરી અને તેણે શિવજીને પ્રસન્ન કરી લીધા, ત્યાર બાદ વર પામી તે કુબેર ને હેરાન કરવા લાગ્યો, આથી છેવટે કુબેર અકળાઇ ને ચણોદ, ગુજરાત પાસે કરનાળી મુકામે ભાગી આવ્યા અને ત્યાં આવી ને શિવજીની આરાધના કરવા લાગ્યા , ત્યારે શિવજીએ તેમને અંબામાતાની આરાધના કરવા કહ્યું કારણ કે રાવણ પણ તેમનો ભક્ત હતો. ત્યાર બાદ કુબેરે અંબામાતાની આરાધના કરીને તેમને પ્રસન્ન કરી લીધા, આથી શિવજીએ ખુશ થઇને કુબેરને દેવોના ખજાનચી બનાવી દીધા. અને આજે તે કુબેરેશ્વર ના નામે કરનાળી ગામે પુજાય છે.
#bharatmirror #bharatmirror21 #kuberbhandari #karnari #dabhoi #news #ahmedabad