નીતા લીંબાચીયા, અમદાવાદ
20 ઓગસ્ટ 2022:
માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ શ્રી જયોજૅ ડાયસ દ્વારા જાણકારી મળી કે
શહેરમાં ચોમાસાના વરસાદના કારણે અત્યાર સુધીમાં હાટકેશ્વર સર્કલ વિસ્તારમાં શિવાજી મહારાજ બ્રિજમાં ગાબડાં ઓની હારમાળા સર્જાઈ છે.
વારંવાર ગાબડાં પડતાં એક તરફનો રસ્તો અનેકવાળ બંધ કરી દેવામાં આવે છે. પરિણામે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાય છે. અંગ્રેજોએ બનાવેલા પુલોને ૧૦૦-૧૦૦ વર્ષ થયાં છતાં તેમાં કોઇ ગાબડાં પડતા નથી અને આજે આધુનિક ટેકનોલોજી ના યુગમાં સત્તાધીશોએ બનાવેલા આ પુલને હજુ તો ૫-૭ વર્ષ જ થયા છે. ત્યાં ગાબડાં ઉપર ગાબડા પડી રહ્યાં છે. કેમ કે આ પહેલાં પણ ચારથી પાંચ વખત આ પુલના રોડ પર ગાબડાં પડ્યા હતા અને ઠીગળા મારી ઉપરછલ્લુ સમારકામ કર્યું છે.
ફરી ફરીને ગાબડાં પડી રહ્યાં છે, જે હલકી ગુણવત્તાનું નબળુ બાંધકામ હોય તેમ લોકો કહી રહ્યાં છે. જેના કારણે મોટી હોનારત સજાૅય અને મોટી જાનહાની થાય તેની દહેશત રહેલી છે. માટે નાગરીકો ના વ્યાપક હિત મા આ પુલનું તાકીદે સમારકામ કરીને બન્ને તરફ રસ્તો શરૂ થાય તેવા પ્રાયસો યુધ્ધના ધોરણે થવા જોઇએ અને નવા જ બનેલા પુલ પર વારંવાર રોડમાં ગાબડાં કેમ પડે છે. તેની તપાસ થવી જોઇએ. શું આ પુલના રોડના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન ઉપયોગમાં લેવાયો છે કે, કેમ એવા સવાલો થાય તે સ્વાભાવિક છે. કેમ કે જો ધારાધોરણ પ્રમાણે માલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો વારંવાર રોડ ન તૂટે અને ગાબડાં ન પડે.
આ સમગ્ર ગાબડાંની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઇએ. અને જવાબદારો સામે સખ્ત પગલા ભરવાની માંગ જનતામાં ઉઠવા પામી છે.
ખોખરા-સી.ટી.એમ.ને જોડતો હાટકેશ્વર નો “છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવર બ્રિજ” મા અલગ અલગ જગ્યાએ પાંચ થી છ વખત પડેલા ગાબડાં ની ઉચ્ચ તપાસ યોજી જવાબદારો સામે સખ્ત પગલા ભરવા અને નાગરીકો ની સલામતી માટે ઉચ્ચકક્ષાની એન્જિનિયરિંગ ટીમ મોકલી તાકીદે સમારકામ કરવા માંગણી અંગે તારીખ ૨૦મી ઓગસ્ટ ના શનીવારે સાંજે ૪-૦૦ કલાકે મ્યુન્સીપલ કોર્પોરેશનની કચેરી,ગોળ લીમડા ખાતે જયોજૅ ડાયસ
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અને તેમના સંગઠન દ્વારા
મેયરશ્રી ને આવેપત્ર આપી વિગતવાર રજૂઆત કરવામાં આવી.