જગન્નાથ મંદિરના મહંત પ.પૂ.1008 શ્રી દિલીપદાસજી મહારાજ, શ્રી શ્રી મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રગિરીજી મહારાજ, શ્રી નિરંજની પંચાયતી અખાડા, મેયર શ્રી કીરીટભાઇ પરમાર, ડે.મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઇ બારોટ, બી.ડી.રાવ પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન દેવાગંભાઇ દાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં બી.ડી.રાવ હાલ માર્ગનું નામાંકરણ કાર્યક્રમ યોજાયો

સમાજના ઉત્કર્ષ માટે બહુમૂલ્ય યોગદાન આપી સમાજિક પ્રેરણા પૂરી પાડનાર શ્રી ભગવતીલાલ.ડી.રાવ(ખંભાત) જેવા દાનવીર ભામાશાની સમાજસેવાની સ્મૃતિ કાયમ રહે તે માટે ભૂયંગદેવ ચાર રસ્તા(ઘાટલોડિયા)થી વિવેકાનંદ ચોક(મેમનગર) તરફ જતા માર્ગને બી.ડી.રાવ(બ્રહ્મભટ્ટ) હોલ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.19
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં વિવેકાનંદ ચોકથી ભૂયંગદેવ ચાર રસ્તા તરફ જતા માર્ગનું શ્રી બી.ડી.રાવ(બ્રહ્મભટ્ટ) હોલ માર્ગના નામાભિધાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જગન્નાથ મંદિરના મહંત પ.પૂ.1008 શ્રી દિલીપદાસજી મહારાજ, શ્રી શ્રી મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રગિરીજી મહારાજ, શ્રી નિરંજની પંચાયતી અખાડા, મેયર શ્રી કીરીટભાઇ પરમાર, ડે.મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઇ બારોટ, બી.ડી.રાવ પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન દેવાગંભાઇ દાણી, વોટર એન્ડ સુએઝ કમીટીના ચેરમેન જતીનકુમાર પટેલ, ગાંધીગર લોકસભા- ભાજપના પ્રભારી ડો.હર્ષદ પટેલ, થલેતજ, બોડકદેવ અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મેયર શ્રી કીરીટભાઇ પરમાર, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને બી.ડી.રાવ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સમાજના ઉત્કર્ષ માટે બહુમૂલ્ય યોગદાન આપી સમાજિક પ્રેરણા પૂરી પાડનાર શ્રી ભગવતીલાલ.ડી.રાવ(ખંભાત) જેવા દાનવીર ભામાશાની સમાજસેવાની સ્મૃતિ કાયમ રહે તે માટે ભૂયંગદેવ ચાર રસ્તા(ઘાટલોડિયા)થી વિવેકાનંદ ચોક(મેમનગર) તરફ જતા માર્ગને બી.ડી.રાવ(બ્રહ્મભટ્ટ) હોલ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બી.ડી.પરિવાર અને બ્રહ્મભટ્ટ સમાજનો આ નામાંકરણ કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને સરાહનીય છે. આવા સમાજસેવી વ્યકિતઓએ હંમેશા સમાજને એક નવી રાહ ચીંધી છે અને સામાજિક ઉત્થાન માટેની એક નવી પ્રેરણા પૂરી પાડી છે, જે બિરદાવવી જ રહી .

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આજના કાર્યક્રમને લઇ બી.ડી.રાવ હોલ માર્ગ પર પોલીસ દ્વારા સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે ટ્રાફિકમાં કોઇ અડચણ કે અંતરાય ઉભા ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.ડી.રાવ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી તેઓનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડો.નંદકિશોર બારોટ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ અને આસપાસની સોસાયટીઓના સેક્રેટરીઓ અને સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ ચોકથી ભૂયંગદેવ ચાર રસ્તા તરફ જતા માર્ગનું બી.ડી.રાવ હોલ માર્ગ નામાંકરણ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાયેલી જોવા મળી હતી.

આજના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જગન્નાથ મંદિરના મહંત પ.પૂ.1008 શ્રી દિલીપદાસજી મહારાજ, શ્રી શ્રી મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રગિરીજી મહારાજ, શ્રી નિરંજની પંચાયતી અખાડા, મેયર શ્રી કીરીટભાઇ પરમાર, ડે.મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઇ બારોટ, બી.ડી.રાવ પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન દેવાગંભાઇ દાણી, વોટર એન્ડ સુએઝ કમીટીના ચેરમેન જતીનકુમાર પટેલ, ગાંધીગર લોકસભા- ભાજપના પ્રભારી ડો.હર્ષદ પટેલ, થલેતજ, બોડકદેવ અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટરો સહિતના મહાનુભાવોની હાજરી નોંધનીય બની રહી હતી.
