નીતા લીંબાચીયા, અમદાવાદ
28 જૂન 2022:
શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક તથા પારંપરિક દિવ્ય ૧૪૫ ર્મી રથયાત્રા તા.૧ / ૭ / ૨૦૨૨ ને શુક્રવારે નીકળશે. રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઇ પ્રેમ ભકિત, સદભાવના, ભાઇચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવે તેવી શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે લોકોને અપીલ કરી છે.
શહેરના પોલિસ કમિશ્નરશ્રીએ ટ્રસ્ટ કમીટીની અરજીને ધ્યાનમાં લઇ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે.
જેના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજો, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા , ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભકતો સાથે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેચંતા રહેશે. દેશભરમાંથી ર૦૦૦ જેટલા સાધુસંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવે છે. ૫૨મ પુનિત, સાંસ્કૃતિક એવં ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને ‘પહિંદ’ કહેવામાં આવે છે.
તે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. આ વર્ષે રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #rathyatra #ahmedabad